Email: gsssc23pri@gmail.com
DEO
ગુજરાત રાજ્ય રજીસ્ટર્ડ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને
ઉ.મા. શાળાઓમાં આચાર્ય માટેની ભરતી પસંદગી સમિતિ
Home
Merit
About us
Government Resolutions
Vacant Posts
Instructions & Advertisement
Contact us
About Us
Home Page
/
About Us
About Us
Details
રાજ્ય સરકારના તા.૨૫/૦૭/૨૦૧૭ ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે “ગુજરાત રાજ્ય રજીસ્ટર્ડ બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યની ભરતી માટેની પસંદગી સમિતી” ની રચના થયેલ છે.
આ સમિતિના સભ્યો નીચે મુજબ છે.
નિયામક, શાળાઓની કચેરી, ગાંધીનગર
- અધ્યક્ષ, હોદ્દાની રૂએ
ઉપાધ્યક્ષ, સચિવશ્રી, ગુ.મા. અને ઉ.મા. બોર્ડ, ગાંધીનગર
- સભ્ય
સરકારે નિયુક્ત કરવાના નાયબ સચિવશ્રીથી નીચલા દરજ્જાના ન હોય તેવા સિનિયર સરકારી અધિકારી
- સભ્ય
સરકારે નિયુક્ત કરવાના બે નામાંકિત શિક્ષણશાસ્ત્રી
- સભ્ય
સરકારે નામનિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના ચાર પ્રતિનિધિ
- સભ્ય
સંયુક્ત શિક્ષણ નિયામક, ગુ.રા.,ગાંધીનગર
- સભ્ય અને સભ્ય સચિવ
પસંદગી સમિતિના કાર્યો:-
જેના માટે ભરતી કરવાની હોય તેવી આચાર્યોની જગ્યાની સંખ્યા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી નક્કી કરવી જોઈએ. તેમ છતાં, જિલ્લા શિક્ષણાધિકારીઓએ આચાર્યોની ખાલી જગ્યા ભરવા માટે માંગણા-પત્રક ભરવુ અનિવાર્ય રહેશે.
રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવી જોઈશે.
પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી, ઉમેદવારોના HMAT પરીક્ષાના ગુણ, શૈક્ષણિક લાયકાતોના ગુણ અને અનુભવના ગુણને ધ્યાને લઈ ઉમેદવારનું મેરીટ તૈયાર કરી તેમજ ઉમેદવારોને મેરીટના ધોરણે જિલ્લા/શાળા પસંદગી આપવી.
શિક્ષણ વિભાગના તા.૨૫/૦૭/૧૭ ના જાહેરનામાની જોગવાઈ ૫(૩) મુજબ મેરીટ કમ પ્રેફરન્સના ધોરણે ૧૫ ઉમેદવારોની યાદી શાળા પસંદગી સમિતિને ઈન્ટરવ્યુ માટે મોકલવી.